એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે.

• જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ વરસાદને લીધે જમીનના ધોવાણથી સલ્ફર સ્થાનિક જળમાર્ગે મીક્ષ થઈ પાણીની ગુણવત્તાને નુકસાન પહોચાડી શકે છે.

• એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાનો ધ્યેય છોડની તંદુરસ્ત વૃદ્ધિને ટેકો આપવાનો છે. જ્યારે જમીનની રચનાના મૂલ્યાંકનની વાત આવે ત્યારે આ ખાતર તેમાં મદદ કરતું નથી.

• જો આ ખાતરનો જમીનમાં વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો કાયમી માટે જમીનનો pH આંક બદલી શકે છે એટલે કે જમીનને એસિડીક બનાવી શકે છે.

એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાથી પાકને પાકવાના દિવસોમાં વધારો કરી શકે છે, જેથી ભલામણ કરેલ ખાતરનો જથ્થો વાપરવો જોઈએ.

Share this post: