ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ?

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય તે માટે હવે વિવિધ રીતો શોધાય છે તેની વાત કરીયે . વિદેશની કંપનીએ યુરિયા ઉપર પટ આપવાનું DCD શોધ્યું છે જેને અંગ્રેજીમાં DICYANDIAMIDE ડાયસાયડીયામાઇડ કહે છે તેને એક યુરિયાની થેલી સાથે 15 કિલો DCD આપી દેવામાં આવેતો યુરિયાનું ડિનાઇટ્રીફીકેશન અને લીચિંગ થતું નથી લાંબા સમય સુધી મૂળ વિસ્તારમાં નાઇટ્રોજન મળતું રહે છે અને એન્ઝાઇમ દ્વારા ઉદીપિત થતી પ્રક્રિયા ધીમી પડી જાય છે તેથી યુરિયા ધીરે ધીરે પાકને મળે છે. તેથી નાઇટ્રોજન વધુ સારું લભ્ય બને છે. ભારતમાં નીમકોટ યુરિયા સ્લો રિલીઝ હોવાથી ખેડૂતો હવે નીમકોટેડ યુરિયા પસંદ કરે છે. આપણે પણ નાઈટ્રોજનનો પૂરો લાભ લેવા માટે નીમ કોટેડ યુરિયા વાપરવું જોઈએ

Share this post: