બીજ જન્ય અને જમીનજન્ય રોગોનો નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા (જૈવિક નિયંત્રક મિત્ર ફૂગ)નો ઉપયોગ થાય છે. જમીનનું ઊંચુ તાપમાન આ ફૂગને અનુકૂળ આવતુ નથી. જમીનમાં જ્યારે રોગકારક ફૂગ ન હોય ત્યારે ટ્રાઈકોડર્મા ફૂગ સેન્દ્રિય તત્વ પર નભે છે. તેથી આ ફૂગની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં પર્યાપ્ત માત્રામાં કાર્બનિક તત્વ હોય તે જરૂરી છે. યોગ્ય માત્રામાં જમીનમાં ભેજ જરૂરી છે. ટૂંકમાં ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા મેળવવા માટે જમીનમાં પુરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ અને ભેજ અને નીચુ તાપમાન જરૂરી છે. સામાન્ય રીતે જે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય તે જમીન ટ્રાઈકોડર્માના વપરાશ માટે અનુકૂળ આવતી નથી
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966



