પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પાનમાંથી રસ ચૂસે છે અને શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનો સ્રાવ બહાર કાઢે છે. જે ઉપરની સપાટી પર પડતાં શરૂઆતમાં તે ચળકાટ મારે છે. સમય જતાં તેના પર કાળી ફૂગનો ઉગાવો થતાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. તેને પરિણામે છોડની વૃદ્ધિ અટકે છે. ઉપદ્રવિત છોડ ઠીંગણા રહે છે. આવા કિસ્સામાં ફૂગનાશકને દવાનો છંટકાવ ન કરતા મોલો અને સફેદમાખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ કોઈપણ ઘણી વખત કપાસના પાન કોકડાઈ જાય છે. તેને માટે જીવાત અને વિષાણુ એમ બન્ને જવાબદાર હોય છે. કપાસના પાકમાં મોલો અને તડતડીયાં (હોપર) પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. રસ ચૂસાવાને લીધે પાન કોકડાઈ જાય છે. મોલો અને તડતડીયાંને લીધે પાન કોકડાઈ જવાના લક્ષણો થોડા જુદા પડે છે. જેમ કે, મોલોનો ઉપદ્રવ વધુ હોય તો પાન કોકડાઈ જાય છે અને પાનની સપાટી પર અગાઉ જણાવ્યા પ્રમાણે કાળી ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે તડતડીયાંનો ઉપદ્રવ વધુ હોય તો સૌ પ્રથમ પાનની કિનારી પીળી પડી જાય છે. પાન કિનારીથી નીચેની તરફ વળીને ‘કોડિયા’ જેવો આકાર ધારણ કરે છે. તે ઉપરાંત તડતડીયાંની લાળમાં એક ખાસ પ્રકારનું ઝેરી તત્વ હોય છે. જે રસ ચૂસતી વખતે પાનમાં દાખલ કરે છે. તેને લીધે પાન તામ્ર રંગના થઈ જાય છે. ઘણી વખત વિષાણુના આક્રમણને લીધે પણ પાન કોકડાઈ જાય છે. સદનસીબે ગુજરાતમાં કપાસના પાકમાં વિષાણુથી થતો કોકડવાનો રોગ જોવા મળતો નથી.