પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે.

● જમીન પોચી અને ભરભરી બનતાં તેની સ્થૂળ ઘનતા ઘટશે, તેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે. વધુમાં જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ પણ વધશે.