જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાન કરતા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે તેને સોઈલ સોલારાઈઝેશન કહે છે. સોઈલ સોલારાઈઝેશનમાં જમીનમાં રહેતા તમામ જીવોની સાથે સાથ નીંદણના બીજનો પણ નાશ થઈ જાય છે અને જમીન એક પ્રકારે સ્ટરીલાઈઝ થઈ જાય છે.

Share this post: