
ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત પદ્ધતિ ના ફાયદા નીચે મુજબ છે ૧) સારી રીતે જાળવણી કરાય તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને પાણી, પોષક તત્વો, દવાઓ અને મજૂરની ઓછી જરૂરિયાત રહે છે. (૨) આ પદ્ધતિ દ્વારા પાણી અને જરૂરી તત્વો સીધા જ છોડ અથવા ઝાડના મૂળમાં આપવાથી ઓછા પાણીએ શાકભાજી તેમજ તેલીબિયાંના પાકોમાં ખૂબજ ઊંચું ઉત્પાદન મેળવી શકાય છે. (૩) નીંદણનો ઉપદ્રવ ઓછો રહે છે. (૪) છોડને પાણી પૂરૂ પાડવાની કાર્યક્ષમતા ખૂબજ ઊંચી છે, તેમજ પાણીની મૂળની આસપાસ પ્રસરવાની ક્ષમતા પણ ખૂબજ ઊંચી છે. (૫) પાણી વહીને જતુ ન હોવાથી જમીનનું ધોવાણ અટકે છે તેમજ પાણીનો બગાડ ઓછો થાય છે. (૬) પાણી ખૂબ ઊંડે ઉતરતું અટકાવી શકાય છે. (૭) જમીન પર પાણીનો ભરાવો થતો ન હોવાથી લીલ, શેવાળ, ફૂગ વગેરે ઓછા થાય છે. (૮) પાણીમાં દ્રાવ્ય ખાતર છોડના મૂળ વિસ્તારમાં આપી શકાતું હોવાથી ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા ખૂબજ ઊંચી મળે છે. (૯) ટ્રેકટર કે અન્ય વાહન ઉપરથી પસાર થવા છતાં નુકસાન થતું નથી. (૧૦) છોડના મૂળની આસપાસ સતત ભેજ જાળવી શકાય છે.



