પાક લીધા બાદ જમીનમાં ઊંડી ખેડ કરવી જેથી ફ્ળમાખીના કોશેટાનો નાશ થાય છે.
ટુવા પડેલ અને નીચે ખરી પડેલ ફ્ળોને નિયમિત રીતે વીણી જમીનમાં દાટી દેવા.
ફ્ળોની વીણી નિયમિત રીતે કરવી અને ફ્ળો પાક તે પહેલા ઉતારી લેવા.વેલાવાળા શાકભાજીની ફળમાખીની પ્રજાતિ મિથાઈલ યુજેનોલયુક્ત ટ્રેપથી આકર્ષાતી ન હોઈ, ક્યુ લ્યુર ટ્રેપનો ઉપયોગ કરવો. વાડીમાં ક્યુ લ્યુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૯ લેખે સરખા અંતરે મૂકવા.



