ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન

ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ?

[1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ

[2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં ખાતરો મળે .

[3] બધા છોડવા કે ઝાડવાને પોષણ સરખા પ્રમાણમાં મળે.

[4] ખાતરનો પૂરેપૂરો 80-90 % ઉપયોગ પાક કરી શકે .

[5] પાકને જરૂરી એવા મુખ્ય 3 તત્વો,ઉપરાંત ગૌણ અને સુક્ષ્મતત્વો પણ સાથોસાથ આપવાથી ઉત્પાદન ગુણવત્તા સભર અને અધિક જથ્થામાં મળવાની શક્યતા .

[6] જમીન સાવ હલકી,રેતાળ કે ભલેને પથ્થરાળ હોય, તોપણ આ પધ્ધતિથી સારું ઉત્પાદન મેળવી શકાય .

[7] જમીનમાં કોઇ ઉધઈ, મુંડા જેવી નુકશાનકારક જીવાતના કે જમીન જન્ય રોગના નિયંત્રણ અર્થે દવાઓ કે જમીનમાં નાઇટ્રોજન ઉમેરણ અને ફોસ્ફરસ સરલીકરણ અંગેના બેક્ટેરિયલ કલ્ચરો પણ ખાતરની સાથોસાથ આપી શકાતા હોવાથી વધારાના મજૂરી ખર્ચ અને સમયમાં બચાવ થાય

[8] ટપક પધ્ધતિથી લેવામાં આવતા દરેક પાકોમાં દ્રાવ્ય ખાતરો આપવાનો ફર્ટીગેશન પ્રોગ્રામ એગ્રોનોમીસ્ટ પાસે બનાવી ને વધુ ઉત્પાદનનો લાભ લેવા જેવો ખરો .