દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ?

પશુને પારહો મુકાવવો એટલે

પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો છે.મન પ્રસન્ન હોય તો પૂરો પ્રાહવો મૂકે, અને મનની પ્રસન્નતા વહી જાય એટલે મૂકેલો પ્રાસવો પણ ઓછો કરી દઇ દૂધ ચોરી જવાનું બનતું હોય છે . દૂધદોહન વખતનું દોહનશાળાનું વાતાવરણ જેટલું શાંત, સ્વચ્છ અને સારું તેટલું પશુનું ચિત્ત વધુ પસન્ન !. દોહનવેળાએ આપણે બને તેટલું શાંત વાતાવરણ જાળવવાનો પ્રયત્ન કરીએ. ગાય તો હજુ સારી, બાકી ભૂખી ભેંશ તો દોહવા માટે ઊભી જ ના રહે ! દોહતાં પહેલાં પશુ પેટ પૂરણ નીરણ અને ખાણ ખાઇ, સ્વ્ચ્છ પાણી પીને પૂર્ણ સંતૂષ્ઠ થયું છે કે નહીં તે નીરખી લઇએ, પછી જ દોહન કામગીરી શરૂ કરીએ. સવાર-સાંજ બે દોહન વચ્ચેનો ગાળો સરખો અને વધુ દૂધ આપનાર પ્રાણી હોય તો સરખેગાળે ત્રણ વખત દોહનક્રિયા અને એ પણ નિયત સમયે જ, વહેલું-મોડું કર્યા વિના સમયસર દોહવાનું ગોઠવાય તો જાનવર પણ જે તે સમયે તેની માનસિક તૈયારીમાં હોય એટલે આપણને અને જાનવરને બન્ને ને વધુ ફાવતું હોય છે. કેટલીક ગોશાળામાં ગાયોનાં મનની પ્રસન્નતા માટે સરસ સંગીત પણ વગાડાય છે.

Share this post: