ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ?

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન

આજે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ-બાગાયત-ગોપાલન-વનવિદ્યા જેવી બાબતોમાં પણ ઓછા ખર્ચે વધારે આવક મળી રહે અને ખેતીને કેમ રળતી-નફો કરતી કરી શકાય તેવા સંશોધિત બિયારણો પદ્ધતિઓ ની જાણકારી આપણા મન-મગજમાં ઘૂસવા જ ન દઈએ તો એ બધી વિગતો આપણી ખેતીની બરકત લાવવામાં કેમ મદદ કરી શકે ? ખેડૂતને ખેતીમાં કામ જ એટલું બધું હોય છે કે એમાંથી કોઈ વિશિષ્ટ કાર્ય માટે સમય કાઢવો ખુબ મૂશ્કેલ હોય તેમ છતાં આવા આધુનિક સંશોધન-પ્રવાહો- કૃષિ વિષયક જ્ઞાન અને જાણકારી મેળવતી રહેવી.

સહેજે પ્રશ્ન થવાનો કે આવું જરૂરી માહિતી-જ્ઞાન મેળવવા શું કરવું ?

[૧] ૨૪ કલાકના રાત-દિન દરમ્યાન ઓછામાં ઓછો એક કલાક આવા પ્રકારની વિગતો જોવા-સાંભળવા- વાંચવા અને નજરે નિહાળવા માટે ફાળવવો.

[૨] રેડિયો અને ટીવી પર આવતા કૃષિ વિષયક વાર્તાલાપો સાંભળવા-કાર્યક્રમો નિહાળવા.

[૩] અખબારોમાં છપાતી કૃષિ કોલમો તથા ખેતી વિષયક સામયિકોનો અભ્યાસકરવો.

[4] કૃષિ નિષ્ણાંતો દ્વારા આનુસંગિક વિષયો પર લખાએલ પુસ્તકોનું વાંચન કરવું.

Share this post: