
જમીનમાં એવા ઘણાં જીવાણુઓ હોય છે કે જે વિવિધ પ્રકારના એસિડ અને પોલીસેકેરાઈડ -બનાવી જમીનમાં રહેલા અલભ્ય પોટાશને મૂળ શોષી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. મોંઘા પોટાશયુક્ત રાસાયણિક ખાતરના વિકલ્પ સ્વરુપે કિમંતમાં સસ્તા ખનીજ માઈકાનો પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મ જીવાણુઓ સાથે વપરાશ કરવાથી રપ % પોટાશયુક્ત રાસાયણિક ખાતરની બચત થઈ શકે છે.



