
સામગ્રી :
દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં ૨ કિ.ગ્રા., લીલા નારિયેળનું પાણી ૩ લિટર અને પાણી ૧૦ લિટર
બનાવવાની રીત :
સૌ પ્રથમ ૭ કિ.ગ્રા. દેશી ગાયના તાજા છાણની સાથે ૧ કિ.ગ્રા ઘીને બરાબર હલાવીને ૨૫ લિટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના પીપમાં સારી રીત મિશ્ર કરવું. આ મિશ્રણને ૭૨ કલાક (ત્રણ દિવસ) સુધી મૂકી રાખવું અને તેમાંથી મિથેન વાયુ દૂર કરવા મિશ્રણને
વચ્ચે વચ્ચે હલાવતાં રેહવું જરૂરી છે. ચોથા દિવસે, આ મિશ્રણમાં ૧૦ લિટર દેશી ગાયનું તાજુ મૂત્ર અને ૧૦ લિટરપાણી નાખવું. આ મિશ્રણને દરરોજ દિવસમાં બે વખત હલાવવું અને તેને ૧૫ દિવસ સુધી આથો લાવવા મુકી રાખવું. પ્લાસ્ટિકના પીપનું મોઢું સુતરાઉ
કાપડથી બાંધી તેને છાંયડામાં મૂકી રાખવું. ઓગણીસમા દિવસે આ મિશ્રણમાં ૩ લિટર દેશી ગાયનું દૂધ, ૨ લિટર દહી, ૫૦૦ ગ્રામ ગોળ (દેશી), ૨ કિ.ગ્રા. પાકા કેળાઅને ૩ લિટર લીલા નાળિયેરનું પાણી ઉમેરવું. આ મિશ્રણને આથો લાવવા ૭ દિવસ સુધી મૂકી રાખવું અને ઓક્સિજનની જરૂરવાળા સૂક્ષ્મજીવાણુઓની કામગીરીને મદદગાર થવા માટે મિશ્રણને સવારે અને સાંજે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું. ગોળ, લીલા નારિયેળનું પાણી અને પાકા કેળા આથવણની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં મદદરૂપ થાય છે. છવ્વીસમા દિવસે આ મિશ્રણને સુતરાઉ કાપડની મદદથી ગાળી લેવું. આમ, ૨૬ દિવસના અંતે પંચગવ્યનું (૨૦ લિટર) સ્ટોક સોલ્યૂસન તૈયાર થઈ જાય છે.



