
પ્રાકૃતિક ખેતી એટલે કોઈપણ જાતના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ, વૃદ્ધિ વર્ધકો કે નિયંત્રકોના ઉપયોગ વગર સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો, લીલો પડવાશ, વિવિધ ખોળ, મિશ્ર પાક પદ્ધતિ અને પાકની ફેરબદલીથી જમીનની ફળદ્રુપતા જાળવવી કુદરતી રીતે જીવાતો અને રોગોનું નિયંત્રણ કરી પાક ઉત્પાદન કરવાની પદ્ધતિ જેમાં કુદરતી સ્ત્રોતોનું સંવર્ધન થતું રહે તે રીતે કરવામાં આવતી ખેતી ટૂંકમાં કૃત્રિમ રસાયણોથી મુક્ત ખેતી એટલે પ્રાકૃતિક કે સજીવ ખેતી. સેન્દ્રિય ખાતરો/જૈવિક ખાતરોની પાક, જમીન અને પર્યાવરણ ઉપર ખૂબ જ હકારાત્મક અસરો જોવા મળે છે



