ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ?

મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે વરસમાં આ બધાંની જેમ એક જ વાર ફૂલો ખીલવી ફળો આપવાં એવું એ બંધન એને નહીં ! ત્રણે ઋતુમાં ફૂલો ખીલવ્યા કરે.પણ એનું પરિણામ સારું ન આવે. એને આરામનો સમય પૂરો ન મળે એટલે ન ઝાડ વિક્રમી ઉત્પાદન દેખાડી શકે કે ન ખેડૂતને જોઇતું- સારી ગુણવત્તાવાળું !. ખેડૂતે પોતે આયોજન કરવું પડે કે આ ફળોંનું આપણે ક્યારે ઉત્પાદન લીધું હોય તો ઝાડને અને પોતાને બન્નેને બધી રીતે ફાવશે અને બજારભાવ પણ મળી શકે- આ બધાનો વિચાર કરતા લીંબુ, દાડમ અને જમરૂખ-ત્રણે ફળપાકોમાં કઇ બહાર લેવી આપણે કરવાનું એ જ કે આગલી મોસમના ફળો પૂરા થયે ઝાડને પાણી બંધ કરી દેવાનું.ઝાડ પાણીની ખેંચ અનુભવશે તેમ તેમ બાસ્પીભવન દ્વારા પાણી ઉડાડી રહેલા પાંદડાંને ખેરવતું જશે. નીચેની જમીનમાં ગોડ કરી, ઝાડ આરામ ઉપર ઉતરી જાય એટલે યથાશક્તિ ખાતરો આપી હળવું પિયત આપવાથી ઓછાં પાન અને વધારે ફૂલો પ્રગટશે.જે ફળોના રૂપમાં પરિણમશે.

Tags

Share this post: