બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો)

બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે રાસાયણિક અને જૈવિક બંને રીતે મૂળ કાર્બન (એટલે કે છોડના અવશેષો, અન્ય ખાતર વગેરે) કરતા વધુ સ્થિર સ્વરૂપમાં છે. જમીનમાં બાયોચારનું બ્રેકડાઉન (ભંગાણ) વધુ મુશ્કેલ છે, પરિણામે બાયોચાર સક્રિય કાર્બન સ્વરૂપે જમીનમાં સેંકડોથી હજારો વર્ષ સુધી સ્થિર રહી શકે છે. બાયોચાર કૃષિ-કચરામાંથી બનત હોવાથી તેમજ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોવાથી જમીનને આડઅસર કરતું નથી તેમજ પર્યાવરણની પણ સમતુલા જાળવે છે.

Share this post: