પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ

૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી ફૂલ આવે ત્યારે અથવા શાકભાજીનું ઉત્પાદન શરૂ થાય ત્યારે છંટકાવ કરીએ છીએ. બિલાનું જૈવ રસાયણ પાકમાં પોટાશની પૂર્તિ કરે છે અને પાકમાં મીઠાશ વધારે છે. પાકની વૃદ્ધિ માટે તથા પાક ઉત્પાદન વધારવા માટે પણ આ પદ્ધતિ ઉપયોગી છે. આ દ્રાવણનો ઉપયોગ ૧૫ લિટરના પંપમાં ૫૦થી ૭૦ મિલિ મુજબ છંટકાવ કરીએ છીએ. વધુ સારું પરિણામ મેળવવા એક પંપમા ૫૦૦ મિલી જીવામૃતનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે. આ પદ્ધતિ મુજબ ચીકુ, પપૈયા, પાકાં કેળાં, લીંબુ, આમળાં સહિત તમામ ફળોનું અલગ-અલગ જૈવ રસાયણ બનાવી ઉપયોગ કરીએ છીએ.

Share this post: