પ્રયોગ

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું? Read More »

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ Read More »

પ્રયોગ : બીજામૃત

એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ કપડાથી ગાળી કોઈ પણ પાકનાં બીજને માવજત આપવાથી સ્ફુરણ સારું થાય છે અને ઉગસુક કે ફુગજન્ય રોગો સામે રક્ષણ મળે છે. હું છેલ્લાં

પ્રયોગ : બીજામૃત Read More »

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ ે આ પાંદડાં મુકે છે. આ પદ્ધતિ સાતથી આઠ મહિના સુધી અનાજને જંતુથી બચાવે છે. રસોઈમાં ઉપયોગ થયા પછી પણ તમાલપત્રનો આ જ

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે Read More »

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે મળે છે સામાન્ય રીતે રોમપક્ષ શ્રેણી (ફૂદા અને પતંગીયા)

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી Read More »

પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા નાંજુન્ડે નાયક ભદ્રાવતી તાલુકાના ખેડૂત છે તેમને નાળિયેરીના પાકમાં ઉંદરોના આક્રમણ સામે એક તરકીબ સૂચવી છે ઉંદરોને આકર્ષવા માટે જુવારનો રોટલો વૃક્ષોની આસપાસ નાખવામાં આવે છે અને તેનાથી આકર્ષાઈને ઉંદરો તેને ખાવા આવે છે. એક અઠવાડીયા બાદ જુવાર સાથે સિમેન્ટ મિશ્ર કરીને તેનો રોટલો નાખવામાં આવે છે. સિમેન્ટ એ ઉંદરના

પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા Read More »

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી જમીન ફળદ્રુપ બને છે. આ માટે અમે પશુ બાંધવાના વાડામાં નીચે પાકુ તળિયું છે. તેમાં સૂકો કડબ, છાણ, મૂત્ર અને માટીનું મિશ્રણ મૂકી રાખીએ છીએ. પશુઓ અહીં છાણ-મૂત્ર કરે, સૂકો

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર Read More »

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો ઉપયોગ એક દિવસમાં છ વિષયોનું લેખન કરવા માટે થઈ શકે અને આમ કરવાથી એક વિદ્યાર્થી જે હાલમાં સાત-આઠ કિલોગ્રામ વજન લઈને શાળાએ જાય

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો Read More »

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી ફૂલ આવે ત્યારે અથવા શાકભાજીનું ઉત્પાદન શરૂ થાય ત્યારે છંટકાવ કરીએ છીએ. બિલાનું જૈવ રસાયણ પાકમાં પોટાશની પૂર્તિ કરે છે અને પાકમાં મીઠાશ

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ Read More »

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ !

આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ માટે સુકાઈ જાય છે. આ સમસ્યા ખુબ જ ગંભીર છે. આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે વલસાડના મનોજભાઈ નાયક મધ અને ઘીનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, આંબાના ઝાડમાં મેઢ લાગે

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ ! Read More »