
આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી કરી દેવાનું છે, વચમાં એક વાત કરું દુનિયાના તમામ સમાજોને અને આપણને પણ સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા, જ્યાં અપરંપાર સુખ—સુવિધાઓ હોય, ત્યાં સમસ્યા ન હોય અને ત્યાં જીવનમાં શાંતિ અને અમન હોય. આપણા પૂર્વજોને એ ખબર નહોતી કે નવી ટૅક્નૉલૉજી દ્વારા એક દિવસ આવું સ્વર્ગ પૃથ્વી પર સાકાર કરશે. આપણા પૂર્વજો કઈ રીતે ગામડામાં ઓછી સગવડતાઓ સાથે જીવતા અને તનતોડ મહેનત કરતા આજે આપણે અને આપણા બાળકો શહેરમાં કઈ રીતે ગાડી , બંગલા , સુવિધા સાથે જીવે છે .કેવો બદલાવ આ બે ત્રણ દશકા માં આવ્યો છે . ક્યારેક તો એવું લાગે કે માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !? અને ખેતીમાં આ ટેક્નોલોજી સૌ નવા ફેરફાર દ્વારા ખેતી ડિજિટલ બનવાની છે તેની વાત આવતા અંકે ……



