આ ઈયળના રંગમાં ખૂબજ વિવિધતા જોવા મળે છે. લીલી ઈયળ સામાન્ય રીતે ઘાટા લીલાથી માંડીને ભૂખરા રંગની તેમજ કથ્થાઈ કે કાળાશ પડતા રંગની જોવા મળે છે. આ એક બહુભોજી અને ખાઉધરી જીવાત છે. લીલી ઈયળ દિવસ દરમ્યાન નુકસાન કરતી હોય છે. લીલી ઈયળ વરિયાળીના દાણા ખાઈને નુકસાન કરે છે.
(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી સૂર્યપ્રકાશની સીધી ગરમીથી લીલી ઈયળના કોશેટોઓનો નાશ થાય છે અથવા પક્ષીઓ દ્વારા તેનુ ભક્ષણ થાય છે.
(૨) ટ્રાયકોગ્રામા ભમરી ૧.૫ લાખ/ હેક્ટરે ૫ વખત છોડવાથી લીલ ઈયળનું જૈવિક નિયંત્રણ થાય છે.
(૩) બીટી પાવડર (૨૦ ગ્રામ/ ૧૦ લીટર) અને એચએનપીવી (૪૫૦ ઈયળ આંક/ હેક્ટર) નો છંટકાવ કરવો. આ દવાઓની સાથે ૧ ગ્રામ/લીટર પાણી સાથે તૈલી સાબુનો ઉમેરો કરવો.
(૪) પક્ષીઓના ટેકા હેક્ટરે ૨૦ થી ૨૫ ની સંખ્યામાં ગોઠવવાથી લીલ ઈયળની ફૂદીનું ભક્ષણ થાય છે.
(૫) લીલી ઈયળના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેકટરે ૮-૧૦ ની સંખ્યામાં ગોઠવવા.
(૬) લીલી ઈયળના અસરકારક રાસાયણિક નિયંત્રણ માટે ક્વિનોલફોસ ૨૫ ઇસી (૬ મિલી / ૧૦ લીટર)નો છંટકાવ કરવો. જંતુનાશક દવાની અસરકારકતા વધારવા માટે તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ અથવા સ્ટીકરનો ઉપયોગ કરવો.


