લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો :

• ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મીલીગ્રામ ૨-૪-ડી).

• ફળ એક સરખા અને એકસાથે પકવવા માટે ઈથરલનો ૫૦૦ થી ૧૦૦૦ પી.પી.એમ.નો છંટકાવ કરવો જોઈએ.

લીંબુમાં વાનસ્પતિક વિકાસ વધુ હોય અને ફૂલોના આવે તો ૧૦ પી.પી.એમ ૨-૪-ડી અને ૫૦ પી.પી. એમ. નેપ્થલીન એસિટીક એસિડ (એન.એ.એ.) (૧૦ લીટર પાણીમાં ૧૦૦ મીલીગ્રામ એન.એ.એ., અને ૫૦ મીલીગ્રામ ૨૪ડી)ની સાથે ૧% યુરીયાના દ્રાવણ સાથે છંટકાવ કરવો.