ટીટોડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય છે. બસ ! આવી જ એક વિશિષ્ટ સૂજના કારણે ટીટોડી પણ જો ઉંચાણવાળું સ્થળ માળા માટે પસંદ કરે તો માનવું કે વરસાદનું પ્રમાણ વધારે રહેશે. અને નીચાણમાં કે કયાંક નદીનાં પટમાં માળો બનાવે તો માર્યા સમજો ! દુષ્કાળના જ એંધાણ ગણાય ! એવુંજ ઈંડા વહેલા મૂકવાની ઉતાવળ કરે અને જેઠ મહિનો આવતાં આવતાં બચડાં મોટા થઈ જાય તો સમજવું, ચોમાસું વહેલું મંડાશ બોલો ! ટીટોડીના આવા વર્તન પરથી વરસાદનો વર્તારો માપનારા ઘણાં ગલઢેરા હજુ મળી આવશે!