જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે

નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા.

બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં અથવા

લીલી ઇયળનું એનપીવી ૨૫૦ એલઇ પ્રતિ હેક્ટરે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો.

વધુ ઉપદ્રવ વખતે એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 ગ્રામ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી 8 મિ.લી.15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.