
મગફ્ળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સૂકા અને અર્ધસુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે, આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાર્કો માફ્ક ઢળી પડતો નથી.
ઊંચી માત્રામાં ખાદ્ય તેલ ધરાવતો અગત્યનો પાક છે, જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી ની ગરજ પણ સારી શકાય છે. મગફ્ળી તેલમાંથી બનતા વેજીટેબલ ઘી માંથી અનેક પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ બને છે. મગફ્ળી તેલ ઉત્તમ પ્રકારનું ખાદ્ય તેલ હોવા ઉપરાંત, લાંબો સમય સંઘરી શકાય છે.
કઠોળ વર્ગનો પાક છે તેથી છોડની મૂળ ગંડીકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરીયાને લઈ હવાનો નાઇટ્રોજન ખેંચી તેને સ્થિર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફ્ળદ્રુપ બને છે.
છોડ નાનો હોઈ અન્ય બીજા કેટલાયે પાકો સાથે મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવી શકાય છે અને બે પાકોથી વધુ ઉત્પાદન લઈ શકાય છે તેમજ, મુખ્યત્વે વરસાદ આધારિત ચોમાસુ પાક હોઈ ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર, પાસ, એરંડા, તલ વગેરે સાથે વાવી શકાય છે.
મગફ્ળી ખોળ ઢોર અને મરઘાં, બતકા માટે શક્તિવર્ધક અને રૂચીવાળો પાચ્ય ખોરાક છે. ઉપરાંત સેન્દ્રીય ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
ચોમાસુ, ઉનાળુ અને શિયાળુ ૠતુમાં પણ વાવી શકાય છે. બદામ અને કાજુ જેવા કિંમતી સૂકા મેવા સામે મધ્યમ અને ગરીબ પ્રજાનો એક પર્યાય બને છે.
વધુ ઓલીક એસિડનું પ્રમાણ ધરાવતી જાતોનાં તેલની ગુણવતા લાંબો સમય જળવાઈ રહે છે તેમજ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે.



