મગફળીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફ્ળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતિ જવાબદાર છે. જો લોહતત્ત્વની ખામી હોય તો મગફ્ળીનો પાક પીળો દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફુલ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવો. જો રેચક પ્રકારની જમીન હોય તો પાણીના નીકાલની વ્યવસ્થા કરી, વરાપ થયે આંતરખેડ કરવી તેમજ જમીનમાં એમોનીયમ સલ્ફેટ ખાતર આપવું.

Tags

Share this post: