
મલ્ચિંગ
આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ સરળ બને. આવરણ ઘણી રીતે કરી શકાય. જેમ કે……….
[1] એની એ જમીનનું ઢાંકણ કેશાકર્ષણની નળીઓ તોડી, નીચલી જમીનમાંનો ભેજ હવામાં ઊડવા ન દેવામાં “પાંહ” મદદરૂપ થનારી સાબિત થઈ છે. પાણી પાયા પછી વરાપ થયે હળવો ગોડ આપી પાંહ કરી દેવાથી ઢાંકણનું કામ થઈ શકશે.
[2] ખેત-કચરાનું ઢાંકણ = મુખ્ય પેદાશની સાથે એવી કેટલીય પેદાશો નીકળતી હોય છે જેનો આપણે ‘ઢાંકણ’અને સડી ગયા પછી સેંદ્રીય ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. દા.ત. બાજરાના ઢૂંહા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, સૂકાં પાંદડાં, જીરૂ-મગનો ચોળો, જૂનું ઘાંસ વગેરે
[3] “રેતી”નું ઢાંકણ માટી વિનાની ચોખ્ખી ઝીણી રેતી ખામણામાં જાડાદળે પાથરી દેવાથી નીચેની જમીનને ઊપરની ગરમ હવાનો સંપર્ક થવા દેતી નથી. નીચેનો ભેજ નીચે ને નીચે સચવાઇ રહે છે.
[4] પ્લાસ્ટિકશીટનું ઢાંકણ પ્લાસ્ટિકની કાળી સિલ્વર ચાદર ખામણામાં પાથરી દેવાથી નીચેથી ઊડતો ભેજ બચે છે.



