
જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે છે. નવી રોગપ્રતિકારક જાતોને સ્થાન આપતા નથી , પાક ફેરબદલી કરતા નથી વગેરે . આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને સમજીને રોગ આવે તે પહેલા કાળજી લઈને ખેતી કરવી પડશે અને તે માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે નહીંતર કપાસ અને મરચીની નિકાસ ઉપર અસર થશે અને કપાસ તો આયાત કરવો પડી શકે – જે ભારતના નિકાસ બજાર અને તેમાં સામેલ લોકોની આજીવિકા માટે ગંભીર બની શકે એવું કૃષિ નિષ્ણાંતોનું માનવું છે .



