
ગુલાબી ઈયળ વીણી પછી શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું ટાણું થયું નથી. તોય આ બન્ને શું વાત કરે છે ઘ્યાનથી સાંભળો..
મોટી ઈયળ કહે ખેડૂતો લઈ દઈને આપણી પાછળ પડયા છે. આપણે આ જગતનું સાવ નાનકડું જીવ અને ઈ ખાલી કપાસ ઉપર જીવીએ તેવું જીવ, નથી આપણે બકાલું ખાતા કે નથી કોઈ ફળફળાદી તોય આ ખેડૂત અને આ બધા વૈજ્ઞાનિકો આપણી પાછળ પડી ગયા છે આપણે અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ. પહેલા સફેદ હોઈએ ત્યારે આપણું માથું ભુખરા રંગનું હોય અને પુખ્ત થઈએ ત્યારે ગુલાબી પટ્ટી પડે એટલે આ ખેડૂતો અને વૈજ્ઞાનિકો આપણને ગુલાબી ઈયળ કહે છે. ગયા વખતે ચોમાસાના વરસાદ ઓછા પડ્યા એટલે આપણી આત્મધાતી પેઢી- મારો કે મરો કરવાની નોબત આવી નહિ પણ આવતા વર્ષે તેલ જૂઓને તેલની ધાર જૂઓ. —– વધુ આવતી કાલે.



