ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી.

* દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે.

* અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે.

* પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે.

કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે ભવિષ્યમાં ભલામણ કરતાં વધુ પ્રમાણની જરૂર જે તે પાકમાં પડે છે.