નિંદામણનાશક

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપી વિઘટન પામતી નીંદણનાશક દવાઓને પ્રિ પ્લાન્ટ પધ્ધતિથી આપવામાં […]

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2 Read More »

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર ઉગાવા ઉપર તથા પાકના વૃદ્ધિ વિકાસ પર માઠી અસર

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો…… Read More »

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ પર થાય છે તેમજ નીંદણ નિયંત્રણ અસરકારક રીતે થતુ

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે…… Read More »

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે પ્રિઈમરજન્સ નીંદણનાશક દવાના છંટકાવથી જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત. એટ્રાઝીન, મેટ્રીબ્યુઝીન, એલાક્લોર કે મેટોલાકલોર.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1  Read More »

નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી

૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં. ૨. ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરવો. ૩. ભલામણ કરેલ સમયે

નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી Read More »

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી. * દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે. * અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે. * પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે. કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે ભવિષ્યમાં ભલામણ કરતાં વધુ પ્રમાણની જરૂર જે તે પાકમાં

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો….. Read More »

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક વિસ્તારમાં, ક્વીઝાલોફોપ ઈથાઈલ કપાસ કે મગફ્ળીના પાકમાં.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3  Read More »