કેરી

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા […]

પ્રદુષણ મુક્ત ઉત્પાદન Read More »

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી છે. માટે કલમને રોપ્યા બાદ છોડ લગભગ ૧.૦ મીટર ઊંચાઈનો થાય ત્યારે મુખ્ય ડાળીની ટોપ પરથી ગાંઠ (રીંગ બડ)ની નીચેથી કાપવું. જેથી કાપેલા

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ Read More »

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X ૩ મીટર, ૬ મીટર x ૪ મીટરના ગાળે અનુકૂળતા પ્રમાણે અંતર રાખી એકમ વિસ્તાર દીઠ વધુ સંખ્યામાં કલમો રોપી શકાય છે. સાંકળા ગાળે

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ? Read More »

કેરીની લણણી કયારે કરવી જોઈએ.

પાયરી અને સુંદરી જેવી જાતો આફુસ કરતાં ૧૦- ૧ર દિવસ વહેલી તૈયાર થાય છે એટલે આ જાતના ફ્ળો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલા અઠવાડિયામાં ઉતારી શકાય છે. આફુસ, કેસર, રાજાપુરી જેવી જાત મે માસના બીજા થી ચોથા અઠવાડિયામાં ઉતારવાલાયક બને છે. વશીબદામી, દાડમિયો, નિલ્ફાન્સા, આમ્રપાલી જેવી હાઈબ્રિડ જાતો જૂન માસમાં તૈયાર થાય છે. મકારામ,

કેરીની લણણી કયારે કરવી જોઈએ. Read More »

આંબામાં મેઢ આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે મેઢને મારી નાખવો અથવા ડીડીવીપી અથવા કલોરપાઈરીફોસ દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુક્યા બાદ ભીની માટીથી કાણું બંઘ કરવું. વઘુ ઉપદ્રવીત ડાળીઓને કાપી નાંખવી.

આંબામાં મેઢ આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (૫ x ૫ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળમાખી ટ્રેપમાં મુકવા અથવા ફળમાખીના બ્લોક એગ્રીલેન્ડ કંપ્નીના મુકવા અથવા આંબાવાડીયાની ચારે બાજુ કાળી તુલસી વાવી તેના પર ર૦ દિવસના અંતરે ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. ૧૦ મીલી/૧૦

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઉપર કાળા ધાબા પડે છે. મોર સુકાઈ જાય છે. કેરી ઉપર ઘેરા બદામી અથવા કાળા રંગના પાણી પોચા ધાબા પડે છે અને કેરી સડી જાય છે.

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?

અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી. પાણીમાં) ઝાડની ફરતે રીંગ અથવા ર૦ થી ર૫ નાના ખાડા કરી એ ખાડામાં ડ્રેન્ચીંગથી આપી શકાય.

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ? Read More »

આંબામાં ખાતર કઈ રીતે આપવું ?

ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી.

આંબામાં ખાતર કઈ રીતે આપવું ? Read More »

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો ચોમાસા પહેલાં નવીનીકરણ કરવામાં આવશે તો આંબાના મેઢના કારણે ઝાડ સુકાઈ જવાના પ્રશ્નો વધુ આવશે. જેથી યોગ્ય સમયે નવીનીકરણ કરવુ હિતાવહ છે.

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ? Read More »