ઘાસચારો

સાયલેજ બનાવવાના ફાયદા

(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં આવેતો વધારાના લીલા ઘાસચારાનો સંગ્રહ સાયલો બનાવીને કરી શકાય […]

સાયલેજ બનાવવાના ફાયદા Read More »

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા

– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય તો તેની ગુણવત્તા સારી છે એમ કહી શકાય છે. – ઊંચી ગુણવત્તાનો સાયલો પીળાશ પડતા લીલા (કથ્થાઇ) રંગનો હોય છે.

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા Read More »

પશુચારા તરીકે સરગવો

વાવેતરના ૮પ થી ૯૦ દિવસ બાદ પ્રથમ કાપણી માટે મોરિંગા લીલાચારા તરીકે તૈયાર થઈ જાય છે. ચારાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે વૃક્ષને જમીનની ૩૦ સે.મી. ઉપરથી કાપવું હિતાવહ છે. ૯૦ દિવસ પહેલા ચારાનું કાપવાથી તેનું થડ પાતળુ અને કમજાેર રહી જાય છે. ત્યારપછીની દરેક કાપણી ૬૦ દિવસના અંતરાલે જ્યારે ઝાડ પથી ૬ ફૂટની

પશુચારા તરીકે સરગવો Read More »

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ હોવું જરૂરી છે, કેમ કે આ શર્કરા પાકને ઓકિસજનની ગેરહાજરીથી થતા રાસાયણિક ફેરફાર દ્વારા ઉત્પન્ન થતા લેકટીક એસિડ માટે જવાબદાર છે. આ લેકટીક

સાયલેજ પાકની લણણી Read More »

સાયલેજ માટે પાકની પસંદગી

સાયલેજ બનાવવા માટે ઘણાંબધાં પાકની પસંદગી કરી શકીએ છીએ. પરંતુ સારી ગુણવત્તાનો સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જુવાર, મકાઇ, બાજરી, ઓટ અને જવ જેવા પાકની પસંદગી કરવી યોગ્ય છે, આ ઉપરાંત આપણે હાઇબ્રિડ નેપીયર, ગીનીયાઘાસ, સુદાનઘાસ અને પેરાઘાસનો પણ ઉપયોગ સાયલેજ બનાવવા માટે કરી શકીએ છીએ. કઠોળ વર્ગના ચોળા, રજકો અને બરસીમ સાયલેજ બનાવવા માટેના યોગ્ય

સાયલેજ માટે પાકની પસંદગી Read More »

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે બીજી ઋતુમાં તેની ઉણપ વર્તાય છે. તો આ લીલા ઘાસચારાનું જયારે વધારે ઉત્પાદન થતું હોય ત્યારે તેને સંગ્રહ કરી સાયલેજ બનાવી અન્ય સમય

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું Read More »

જરૂરત પ્રમાણે વાવેતર કરો

– જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ અને જમીનની ફળદ્રુપ્તા જાળવવી જોઈએ.

જરૂરત પ્રમાણે વાવેતર કરો Read More »

મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

લીલાચારા તરીકે તેના કોમળ પાંદડા અને ડાળીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતી હોય છે. તેને જ પરિણામે મનુષ્યના ખાદ્ય પદાર્થની સાથે સાથે પશુઓ માટે પણ લીલાચારા તરીકે મોરિંગાનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. વાવેતર પહેલા બીજને આખી રાત પલાળી મૂકી તેને પ થી ૧૦ કિલો બીજદરના હિસાબે ટ્રાયકોડર્મા વિરિડી અથવા તો…..

મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી Read More »