આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ?

કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. પિયતની સુવિધા ન હોય ત્યાં બધા જ ખાતરો ચોમાસામાં વરસાદ શરૂ થતા પહેલા મે-જૂન માસમાં આપવા. પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર ન મળે તો બાકીનો જથ્થો દિવેલીના ખોળના રૂપમાં આપી શકાય (એક કિલો દિવેલનો ખોળ આશરે ૫-૭ કિલો છાણિયું ખાતર સમજવું). એ જ પ્રમાણે આંબાવાડીમાં ખુલ્લી જગ્યા હોય તો તેવી જગ્યામાં લીલો પડવાશ કરવો જે જમીન માટે ખુબ ફાયદાકારક છે. લીલો પડવાશ કરવો હોય તો જૂન માસના પહેલા વરસાદે લીલા પડવાશ માટે ઈક્કડ અથવા શણ ઉગાડવા. વાવણી બાદ દોઢ થી બે માસ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં તેને જમીનમાં દાટી દેવા અને ત્યારબાદ વરસાદ ન હોય તો એક પાણી આપવું. ચોમાસામાં સેન્દ્રિય ખાતરોની સાથે જૈવિક ખાતર આપવું જેમાં ઝાડ દીઠ ૫૦ ગ્રામ એઝેટોબેકટર, ૫૦ ગ્રામ પી.એસ.બી. અને ૫૦ ગ્રામ પોટાશ મોબીલાઇઝ બેકટેરિયા જુન માસમાં આપવું.

Share this post: