
લશ્કરી ઈયળ અને લીલી ઈયળની ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી તેમાં ફકત નર ક્ટિક આકર્ષીય છે અને તેનો નાશ કરવાથી માદા કૂદી વંઘ્ય બને છે અને આગળની પેઢીનો વિકાસ અટકે છે. લીંબોળીનાં મીંજનું ૫ ટકા દ્વાવણ (૫૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) અથવા કરંજ તેલ ૩૦ મીલી ૧૦ લીટર પાણીમાં ઉમેરીને ર થી ૩ છંટકાવ કરવાથી લશ્કરી ઈયળ અને લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ર૦ ઈસી ર૦ મીલી અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મીલી અથવા ફ્લુબેન્ડીએમાઈડ ૪૮ એસ.સી. ૩ મીલી અથવા સ્પીનોસાડ ૪૫ એસ.એલ. ૩ મીલી અથવા નોવાલ્યુરોન ૧૦ ઈસી ર૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ પછી દવાનો બીજો છંટકાવ કરવો.



