શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય, જાતોની આનુવંશિક શુધ્ધતા શેરડીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. વર્ષો સુધી નબળી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કરવાથી સારી જાતો પોતાના સારા ગુણધર્મો ગુમાવીને નામશેષ થયેલ છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ગુણવત્તાસભર બિયારણના ઉપયોગથી ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ સુધીનો વધારો મેળવી શકાય છે.

Share this post: