રાઈના પાકમાં નિંદામણનાશક દવા
પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે.
અથવા
ઓક્ઝાડાયાર્જીલ (રાફટ ૬% ઈસી) ૦.૦૯૦ કિ.ગ્રા. (૧.૫૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૪૫ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો વાવેતર બાદ ૭ દિવસે કરવાની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,



