
કપાસના ફૂલો તેનો સમાન્ય દેખાવ ગુમાવે છે અને ફૂલની પાંખડીઓ ગુલાબના ફૂલની માફક બીડાયેલી જોવા મળે છે. તેને ‘રોઝેટ ફલાવર’ કહે છે. આવું ગુલાબી ઈયળને લીધે થતુ હોય છે. આવા ફૂલની પાંખડીઓ ખોલતાં તેમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે છે.
કેટલીક વખત કપાસના જીંડવા કસમયે (અપરીપકવ અવસ્થાએ) ફાટી જતા હોય છે. શરૂઆતમાં ખોરાક કે પાણીની અછતને લીધે કે કોઈ રોગના લીધે જીંડવાનો વિકાસ અટકી પડવાથી જીંડવા કસમયે ફાટી જતા હોય છે અને સારી રીતે ખુલતા નથી. ઘણી વખત જીંડવામાં કાબરી ઈયળના નુકસાનથી જીંડવું વહેલું ફાટે છે. જીંડવાના સડાનો રોગ થયો હોય તો પણ જીંડવા કસમયે ફાટી જતા હોય છે. મોટે ભાગે રેતાળ નાઈટ્રોજન તત્વની ઊણપ હોય જમીનમાં કે જયાં ફાટી જવાની સમસ્યા જોવા મળે છે. ત્યાં જીંડવા વહેલા અમુક કિસ્સામાં પાનકથીરીના વધુ પડતા ઉપદ્રવને લીધે પણ જીંડવા વહેલા પરીપક્વ થતા હોય છે.



