Author name: sujay

ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ

ભાલીયા ઘઉંના પોંકનો લોટ અને ચણાના લોટને ૫૦ ગ્રામ ઘીમાં શેકવો. તેમાં દૂધ ઉમેરવું, ત્યારબાદ ખાંડની ચાસણી (૪૦ ગ્રામ ખાંડ માં ૨૦ મી.લી. પાણી ઉમેરી ૩ મિનીટ ગરમ કરવું.) ઉમેરી મિશ્રણને ધીરા તાપે બે મિનીટ સુધી બરાબર હલાવવું. મિશ્રણને ઘીંથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવું અને થોડું ઠંડુ પડે એટલે ચોસલા પાડવા.

ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ Read More »

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને ફળ બેસવામાં મદદ થાય છે. ૨. કેળામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ કેળામાં ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૧૦૦ પી.પી.એમ.) જિબ્રેલીક એસિડ

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો Read More »

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી સારી ગુણવત્તાવાળા વધુ ફળનું ઉત્પાદન મળે છે. ડુંગળીની ફેરરોપણી કર્યા પછી ૪૫માં દિવસથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં) નેપ્થલીક એસિટીક એસિડ (એન. એ.

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો Read More »

પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ.

આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા અલગ અલગ હોય છે. પણ ક્યાં ક્યાં તત્વો જોઈએ તેની વાત કરું તો કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો આપણને કુદરત પાસેથી ફ્રી મળે છે. આ ઉપરાંત ત્રણ મુખ્ય

પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ. Read More »

મકાઈમાં નિંદામણ નિયંત્રણ વિષે જાણો.

શરૂઆતના દોઢ માસ સુધી ખેતર નિંદામણ મુક્ત રાખવાથી ઉત્પાદનમાં ૪૦ ટકા વધારો મળે છે. એટ્રાજીન ૨ કિલો પ્રતિ હેક્ટરે મકાઈ વાવ્યા બાદ છોડ ઊગતા પહેલાં ૧૦ લિટર પાણીના પંપમાં ૪૦ ગ્રામ દવા ભેળવી જમીન ઉપર છંટકાવ કરવો. ૧ હેક્ટર માટે ૧ ૫૦ પંપ દવા છંટકાવ જરૂરી છે. ૧ વખત હાથ નિંદામણ તથા ૧ વખત આંતરખેડ

મકાઈમાં નિંદામણ નિયંત્રણ વિષે જાણો. Read More »

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો થી ભરેલ લબલબ જમીન અને ઉપયોગી માઈક્રોબ્ઝની હાજરી દ્વારા

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે. Read More »

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો

એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ બેસી રહે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ ખુબ જ નાની, આછા પીળા રંગની અને પ્રમાણમાં મોટા માથાવાળી હોય છે. જે ચપળતાથી યજમાન પાયરીલાની શોધમાં

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો Read More »

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

જીવાત : ઘઉંમાં મોલો Read More »

ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ?

ડ્રેગનફ્રૂટનું સંવર્ધન બીજથી તથા કટકા કલમથી થાય છે. બીજથી : પાકેલા ફ્લોના બીજને વાવીને ધરૂ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા છોડનો વિકાસ, ઉત્પાદન તથા ફ્ળની ગુણવત્તા સરખી હોતી નથી તથા ફ્ળ બેસવાની શરૂઆત મોડી થાય છે તેથી બીજથી થતું પ્રસર્જન હિતાવહ નથી. કટકા કલમથી : મુખ્યત્વે ડ્રેગનફ્રૂટનું પ્રસર્જન કટકા કલમથી (stem cutting)

ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ? Read More »

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ?

ખાતર આપવાના ખર્ચ

જેમ દેશી ખાતર સુંડલા કે તગારાથી ચાસે ભરતા હોઇએ તેમ રાસાયણિક ખાતરની મોંઘી થેલીને ખૂણે કાણું પાડી થેલીને જમીન ઉપર ઢસડતા જઇ ડી.એ.પી. ખાતર ચાસમાં નખાંતું મેં જોયું છે. કદાચ તમેય જોયું હોય. ફોસ્ફરસયુક્ત ખાતરો ઓછામાં ઓછી જમીનના સંપર્કમાં આવે અને મૂળ વિસ્તારથી ઊંડા અપાય તો જ તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.એટલે એ રીતે જ આપવું જોઈએ.

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ? Read More »