Author name: sujay

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ

વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી પર ૫ કે તેથી વધુ થ્રિપ્સ જાેવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બીજાે છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ Read More »

રોગ : મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ

મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૭ મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૨૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી

રોગ : મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ Read More »

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા ચારાને જો એમોનિયા વાયુના સંપર્કમાં રાખવામાં આવે તો લીગ્નીન અને પ્રોટીન જે એકબીજા સાથે જકડાયેલા છે તેની પકડ નબળી બને. આ પ્રક્રિયા કર્યા પછીનો ખોરાક જાનવરને ખવરાવવામાં આવે તો તેમાંનું

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ? Read More »

જીવાત: ભીંડામાં કાબરી ઇયળનું નિયંત્રણ

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુકસાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. ઉપરાંત વીણી કરેલ ભીંડામાંથી આ જીવાતથી સડેલા ભીંડા જુદા તારવી તેને ઢોરને ખવડાવી દેવા કે ઈયળો સહિત નાશ કરવો. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લી.

જીવાત: ભીંડામાં કાબરી ઇયળનું નિયંત્રણ Read More »

રોગ : દાડમમાં ફૂગથી થતાં પાન અને ફળનાં ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મિ.લી.) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧પ દિવસના અંતરે કરવા.

રોગ : દાડમમાં ફૂગથી થતાં પાન અને ફળનાં ટપકાં Read More »

પશુ વીમા પ્રીમિયમનો દર અને વિમાની રકમ

પશુ વિમાના પ્રીમિયમનો દર અલગ-અલગ પશુ માટે તેના શ્રેણી મુજબ અલગ-અલગ હોય છે. જેમ કે, એ પશુ કયા પ્રદેશમાં રહે છે તે પશુ નો બજારભાવ કેટલો છે, પશુની જાતિ કઈ છે પશુની ઉંમર કેટલી છે પશુની ઉત્પાદકતા કેટલી છે વગેરે.

પશુ વીમા પ્રીમિયમનો દર અને વિમાની રકમ Read More »

તલ : ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું ?

ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન, રપ કિલો ફોસ્ફરસ અને ૪૦ કિલો પોટાશ(પ૪ કિલો ડી.એ.પી , ૭૬ કિલો એમોનીયમ સલ્ફેટ અને ૬૭ કિલો મ્યુરેટ ઓફ પોટાશ) વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું. વાવણી પછી ૩૦ થી ૪પ

તલ : ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું ? Read More »

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ?

દોહન મશીન આંચળને હથેળી વચ્ચે પકડી, મુઠી ઉઘાડ-બંધ કરી, પહેલા ઉપર અને પછી ધીરે ધીરે નીચે તરફ દબાણ આપતાં આપતાં દોહવાની આ રીત ઉત્તમ છે. આ જ રીતથી માલધારીઓ અને ખેડૂત ગૃહિણીઓએ દોહવાની ટેવ વિકસાવવી જોઇએ. “દોહન મશીન” થી દૂઝાણું દોહવામાં કઈ વાંધો ખરો ? કઈ વાંધો નહિ. મજૂરની ખેંચ વખતે બહુ જ ઉપયોગી થઇ

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ? Read More »

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે : (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪° સે. અને ૯૫‰. સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી (૩) ગરમ વરાળની માવજત (એરેટેડ સ્ટીમ ટ્રીટમેન્ટ) પર સે. ઉષ્ણતામાને ૧

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે Read More »

મગ, મઠ, અડદ અને ચોળા : તડતડીયાં

મગ, મઠ, અડદ અને ચોળામાં તડતડીયાંનું નિયંત્રણ થાયામેથોકઝામ ૨૫ ડબલ્યૂજી ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મગ, મઠ, અડદ અને ચોળા : તડતડીયાં Read More »