સુધારેલ ચુલ્હાના ફાયદાઓ

સુધારેલ ચુલ્હાનું સ્પ્રેરી દ્વારા પરીક્ષણ કરતાં તેની કાર્યક્ષમતા, બળતણનો વપરાશ અને ધુમાડાના ઉત્સર્જનના પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે પરંપરાગત ચુલ્હાની સરખામણી કરતાં સુધારેલ ચુલ્હામાં ૨૫-૩૦% ઓછા બળતણનો ઉપયોગ થાય છે અને ૬૦-૮૦% ઓછો ધુમાડો ઉત્સર્જિત થાય છે. સુધારેલ ચુલ્હાના વપરાશકર્તાના પ્રતિસાદના આધારે પરંપરાગત ચુલ્હાની તુલનામાં સુધારેલ ચુલ્હાના ફાયદાઓ નીચે મુજબ છે.
સુધારેલ ચુલ્હો પર્યાવરણને અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ છે.
બળતણ/લાકડાની બચત થાય છે.
રસોઈ કરવામાં સમયની બચત થાય છે.
ધુમાડોઓછો ઉત્પન્ન થતો હોવાથી રસોડાની દિવાલ અને છત કાળી થવાની સંભાવના ઓછી છે.
સુધારેલ ચુલ્હામાં ધુમાડો ઓછો થવાથી આંખમાં થતી બળતરા, શ્વાસના રોગો અને ઉધરસની તકલીફો થતી નથી.
આ ચુલ્હાને વપરાશનીઅનુકૂળતા પ્રમાણે સ્થળાંતર કરી શકાય છે.