ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો તમારા સાત્વિક મરચી ગ્રુપમાં અત્યારથી જ કહો કે શુઘ્ધ અને સાત્વીક મરચા પાવડર ૫૦૦ ગ્રામ અને ૧ કિલો પેકિંગમાં મળશે, સુરત-અમદાવાદ-મુંબઈના સગા સંબંધીને કુરીયરથી મોકલી આપીશું. પોતાના ખેતરમાં પકવેલું, સ્પેશીયલ વીણાટ મરચામાંથી બીજ કાઢીને પલ્વરાઈઝ મશીનમાં દળેલું શુઘ્ધ મરચું મળશે. સારી કવોલીટી અને લાલ ચટ્ટ્ક કલર માટે તમારા મરચામાં થોડું કાશ્મીરી મરચું ઉમેરો તો કલર પણ સારો મળશે અને તીખાશ પણ મીડીયમ રહેશે. આવું કરી ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ. બઝાર ભાવની ઐસી તૈસી .