October 27, 2025

જીવાત : વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ વિષે જાણો

વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ ઉપદ્રવની શરૂઆતના સમયે લેકાનીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ વેગ્રે 6 ગ્રામ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં લઇ શકાય છે

જીવાત : વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ વિષે જાણો Read More »

જીવાત : ડૂંગળી અને લસણની થ્રિપ્સ

ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું. રોપતી વખતે ચાસમાં કાર્બોફયૂરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આ૫વુ. આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર કરતી હોવાથી અવાર-નવાર જમીનમાં પાકમાં નિયત સમયાંતરે ગોડ કરવો. વધુ ઉપદ્રવ વખતે લેમ્ડા સાયહેલોથ્રીન ૫ ઇસી 8 મિ.લી. અથવા ટેલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિલી ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : ડૂંગળી અને લસણની થ્રિપ્સ Read More »

રોગ : શેરડીનો ચાબૂક આંજીયો

ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલું ચળકતુ આવરણ તૂટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાંને ઉખાડી તેનો નાશ કરવો. રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહિ કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે.

રોગ : શેરડીનો ચાબૂક આંજીયો Read More »

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ?

જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત પાકને નિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ જમીનના પ્રત અને વાતાવરણને ધ્યાને રાખી પિયત વ્યવસ્થા અપનાવવી જરૂરી છે.જીરૂના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. જીરૂનો ઉગાવો ૧૧ થી

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ? Read More »

ઘઉંની મોડી વાવણી માટે જાતો

જી.ડબલ્યુ ૪૯૯ પાછોતરી ગરમી સામે પ્રતિકારક ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની બચત કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક • મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા જી.ડબલ્યુ ૧૧ ઊંચા તાપમાન તથા ભેજની ખેંચ સામે પ્રતિકારક • મોડી વાવણી તેમજ મર્યાદિત પિયત માટે ઉત્તમ કાળા અને બદામી ગેરુ સામે રોગ પ્રતિકારક

ઘઉંની મોડી વાવણી માટે જાતો Read More »

બટાટામાં બીજ માવજત

બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના ટુકડાને વાવણી પહેલાં મેન્કોઝેબ ૧ કિલો દવા સાથે ૫ કિલોગ્રામ શંખ જીરૂ અથવા રાખનું મિશ્રણ કરી દવાની સૂકી માવજત આપવી જેથી બટાટામાં થતો

બટાટામાં બીજ માવજત Read More »