કૃષિ માહિતી

મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?

તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે […]

મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ? Read More »

ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી, તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાની . કલમનો સાંધો મળી જાય

ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ? Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ , શાકભાજી આપણે જ પુરા પાડીયે છીએ . અનાજ કઈ મશીનમાં નથી પેદા થવાનું . ખેતીમાં નવી ટેકનોલોજી આવશે અને ખેતી ટકવાની છે, જરૂર

ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ? Read More »

માટીનું પૃથક્કરણ એટલે શું ?

આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની સામે ખૂટતા પોષક તત્ત્વોના પ્રમાણ જાણી શકાય છે. જેથી જરૂરિયાત મુજબ જ ખાતરની ગણતરી કરી બિનજરૂરી વધારાનો ખાતરનો જથ્થો આપવાનું બચાવી શકાય છે

માટીનું પૃથક્કરણ એટલે શું ? Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ ચાલે છે તે કરતા થોડું સસ્તું એટલે કે વ્યાજબી ભાવે નિશ્ચિત વજનના પ્લાસ્ટિકના ઝબલા બનાવીને સીધા ઉપભોગતાને વેચવા જોઈએ ડાઇરેક્ટ માર્કેટિંગ કરવું જોઈએ

શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ? Read More »

ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી, મેથી, પાલખ, તાંદળજો, કોથમીર, લીલું લસણ જેવાની એમ ને

ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ? Read More »

ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

[1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી ને ચળકતી થઇ જાય. [3] અવાજમાં બદલાવ =તરબુચકે ટેટી જેવાને આંગળીનો ટકોરો મારતા અંદરથી ઉઠતો નક્કર અવાજ [4] સ્પર્શ કરવાથી અનુભૂતિ થાય: .જામફળ,

ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ? Read More »

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી. ૩. જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને જમીનમાં સંગ્રહાય તે માટે જમીનમાં ભેજ તથા તાપમાનનું આદર્શ નિયમન કરવું. ૪.

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા Read More »

કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ

મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ? હકીકતમાં મૂળ તો જમીનમાં ફેલાય છે અને આપણે તો

કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ Read More »

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ પ્રોટેક્શન સ્ટડીઝ, TNAUના જણાવ્યા અનુસાર, ખેડૂતો મોટાભાગે વરસાદની ઋતુ દરમિયાન ટામેટાંના પાકમાં બેક્ટેરિયલ સુકાઈ જવાની સમશ્યા રહે છે. રીંગણાના મૂળ ઉપર ટામેટાની કલમ

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન Read More »