Author name: sujay

એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા છંટકાવ દરમિયાન શું ધ્યાન રાખવું ? 

• સુરક્ષા સૂચનો સમજવા માટે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા. • ચકાસવા માટે પહેલા પાણીથી છંટકાવ કરવો. • પવનની યોગ્ય ગતિ/ભેજ/તાપમાન માટે હવામાન જાણવું. • ઉડાનની યોગ્ય ઊંચાઈ, ઝડપ અને પાણીની માત્રાની ખાતરી કરવી. • એન્ટિડ્રિફટ નોઝલનો ઉપયોગ કરવો.

એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા છંટકાવ દરમિયાન શું ધ્યાન રાખવું ?  Read More »

મગફળીમાં આફલાટોક્સિન

ગુજરાતની મગફ્ળી કે જે, સારી ગુણવત્તા જેવી કે સ્વાદ, સુગંધ તથા લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય તેવી હોય તે દુનિયામાં સૌથી વધુ પ્રખ્યાત થયેલ છે. પરંતુ, છેલ્લા થોડા સમયથી એસ્પરજીલસ ફ્લેવસ તથા એસ્પરજીલસ પેરાસીટીકસ જેવી ફૂગથી ઉત્પન્ન થયેલ અફ્લાટોસીન નામનાં ઝેરી તત્ત્વોની અસરથી આંતરરાષ્ટ્રીય બજારોમાં આપણી મગફ્ળીની માંગ ઘટી ગઈ છે. અફ્લાટોકસીન એક પ્રકારનું

મગફળીમાં આફલાટોક્સિન Read More »

બટાટામાં પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળાચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્ક્રેબના તથા કાળા ચાઠાના નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરીક એસીડ (આઇપી ગ્રેડ) ૩ ટકાના (૩૦ ગ્રામ દવા ૧લીટર પાણીમાં) દ્રાવણથી માવજત આપવી જરુરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે કે, વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકાગાળે પિયત આપવું જેથી રોગને નિયંત્રીત

બટાટામાં પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ Read More »

વરિયાળીનો જીવાત : લીલી ઈયળ

આ ઈયળના રંગમાં ખૂબજ વિવિધતા જોવા મળે છે. લીલી ઈયળ સામાન્ય રીતે ઘાટા લીલાથી માંડીને ભૂખરા રંગની તેમજ કથ્થાઈ કે કાળાશ પડતા રંગની જોવા મળે છે. આ એક બહુભોજી અને ખાઉધરી જીવાત છે. લીલી ઈયળ દિવસ દરમ્યાન નુકસાન કરતી હોય છે. લીલી ઈયળ વરિયાળીના દાણા ખાઈને નુકસાન કરે છે. (૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી

વરિયાળીનો જીવાત : લીલી ઈયળ Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪

● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪ Read More »

ધાણી- કોથમરીના પાકને કેવી આબોહવા અનુકુળ આવે છે ?

દાણાના પાકને ઠંડી અને સૂકી આબોંહવ/ વધુ માફ્ક આવે છે જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે. પરતુ જ્યાં પિયતની, સગવડતા હોય ત્યાં લીલા ધાણા (કોથમીર) તરીકે આખું વર્ષ વાવેતર કરી શકાય છે. આ પાકની લાંબા સમય માટે વાદળવાયું હવામાન, ભારે વરસાદ અથવા વધારે પડતી ગરમીવાળું વાતાવરણ અનુકૂળ આવતું નથી.

ધાણી- કોથમરીના પાકને કેવી આબોહવા અનુકુળ આવે છે ? Read More »

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો. વાડીપડાની અંદરનાં ઓઘા, ગંજી, કુંજવાં ભરી લેવાનો ગાળો હોય તો સમાઇ શકે તેટલાને કોઢ-વખારમાં ભરી દેવા. બાકીનાને જુદા જુદા ઠેકાણેથી ભેળાં કરી, તેનો

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ? Read More »