Author name: sujay

રોગ : મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ

મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનોઅર્ક ૧૦ ટકા (૧ લિટર/ ૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી (૧૫ મિ.લી./૧૫ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ Read More »

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ?

ખેતીપાકનું નિદાન આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વિષય નિષ્ણાતોની ટીમ કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ? Read More »

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ?

ક્ષારમય અને અલ્કલાઈન જમીનની સુધારણા સેન્દ્રિય તત્વનું જૈવિક વિઘટન વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ મંદ ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરીને કરે છે. આ ક્ષારમય તેમજ ભાસ્મિક જમીનને સુધારવાનું કામ કરે છે. બ્લ્યૂ ગ્રીન આલ્ગી જમીનના ગુણધર્મો સુધારે છે. આ પ્રક્રિયામાં થાયોબેસિલસ પ્રકારના ગંધકયુક્ત બેક્ટેરીયાનો પણ અગત્યનો ફાળો રહેલો છે,જમીનમાં રહેલ સૂક્ષ્મજીવાણુઓ જમીનની ફળદ્રુપતાને જાળવવા તેમજ તેમાં વધારો કરવા

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ? Read More »

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

જમીનમાં ઘણા સૂક્ષ્મજીવો એકલા-સ્વતંત્ર-મુક્ત રીતે રહી જમીનમાં નાઈટ્રોજન સ્થિર કરે છે જેને અસહજીવીકરણ તરીકે ઓળખાય છે. અસહજીવિત રીતે નાઈટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે, એઝેટોબેક્ટર, અઝોસ્પાઈરીલમ, ક્લોસ્ટ્રીડીયમ અને બ્લૂ ગ્રીન આલ્ગી. એઝોટોબેક્ટર કરતાં ક્લોસ્ટ્રીડીયમ જમીનમાં ખૂબ જ મોટા જથ્થામાં રહેલા છે પરંતુ તે ઓછા પ્રમાણમાં નાઈટ્રોજન – સ્થિર કરે છે. ડાંગર, મકાઈ, જવ, ઘઉં,

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ? Read More »

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓ જાણવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 🌟 ઘરબેઠા ખેતીની સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે સેંકડો ખેડૂતો ‘કૃષિ વિજ્ઞાન’ મેગેઝીન સાથે જોડાઈ

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 Read More »

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ જેવા અગત્યના મસાલા પાકમાં તેમજ તલ જેવા તેલીબિયા પાકમાં ખેડૂતો ખેતરમાં અમૂક જંતુનાશકોનો ઉપયોગ કરતા નથી. પરંતુ પરદેશમાં નિકાસ કરેલ કન્ટેનરોમાં તે જંતુનાશકોના

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ? Read More »

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો Read More »

સેન્દ્રિય અવશેષોનું કોહવાણ અને પોષકતત્વો છૂટા પાડવા

જમીનનું સેન્દ્રિય તત્વ, જમીનની ફળદ્રુપતા તેમજ તેના સુધારામાં તેમજ જાળવણીમાં સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવે છે. સેન્દ્રિય તત્વનું પ્રાથમિક ઉદ્ભવ સ્થાન છોડના અવશેષો છે. પશુઓ સેન્દ્રિય તત્વનું બીજુ ઉદભવસ્થાન છે. જમીનનું સેન્દ્રિય તત્વ છોડ માટે જરૂરી પોષકતત્વોનું એક સંયોજન છે કે જે તે પરિસ્થિતિમાં છોડ માટે સીધેસીધું વાપરવું/ ઉપયોગમાં લેવું શક્ય નથી, તેથી સેન્દ્રિય તત્વોના સંયોજનનું

સેન્દ્રિય અવશેષોનું કોહવાણ અને પોષકતત્વો છૂટા પાડવા Read More »

રોગ : ભીંડામાં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.

રોગ : ભીંડામાં પીળી નસનો રોગ Read More »

જૈવિક ખાતરો એટલે શું ?

જૈવિક ખાતરો એ સૂક્ષ્મજીવાણુઓનો સમૂહ છે, કે જે બીજને (પટ)/ જમીનમાં આપી અથવા બંને સાથે આપી જમીનમાં પોષકતત્વોની પ્રાપ્ય સ્થિતિમાં વધારો કરે છે. જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોના પુરક તરીકેનો ભાગ ભજવે છે. જુદા-જુદા જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર ઉપર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય

જૈવિક ખાતરો એટલે શું ? Read More »